- અમદાવાદ માસ્ક વગર રસ્તે ફરતા લોકોના કોરોના ટેસ્ટ
- 256 લોકોના AMCએ કોરોના ટેસ્ટ કર્યા
- 256 લોકો પૈકી કુલ 9 લોકો કોરોના પોઝિટિવ
- 9 પૈકી 6 લોકોને હોસ્પિટલમા દાખલ કરાયા
- 3 લોકોને હોમ આઇશોલેશન કરાયા
- નેગેટિવ આવેલા લોકો પાસેથી દંડ વસુલાયો
- રૂ. 1 – 1 હજારનો દંડ વસુલાયો
સરકાર અને તંત્ર ભલે ગમે તે સૂચનો આપે આપણે તો બધાનાં માલિક એટલે કે પ્રજા કહેવાય આપણે તો સૂચનો અને નિયમો પાળવા હોય તો જ પાડીએ… આટલા વધતા કેસ અને કરફ્યુ પછી પણ અમદાવાદમાં અનેક આવી માનસિકતાનાં લોકો રસ્તા પર જોવામાં આવ્યા. અમદાવાદ માસ્ક વગર રસ્તે ફરતા લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા. જી હા, 256 લોકોના કે જે અમદાવાદમાં માસ્ક વગર રસ્તે ફરતા હતા, તેના AMCએ કોરોના ટેસ્ટ કર્યા. 256 લોકો પૈકી કુલ 9 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 9 પૈકી 6 લોકોને હોસ્પિટલમા દાખલ કરાયા છે. જ્યારે 3 લોકોને હોમ આઇશોલેશનમાં રખવામાં આવ્યા છે. નેગેટિવ આવેલા લોકો પાસેથી રૂ. 1 – 1 હજારનો દંડ વસુલાયો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….