આતંકી હુમલો/ કાશ્મીરમાં આંતકવાદીઓએ મકાન પર ગોળીબાર કરતા 3 લોકોના મોત,સાત ઇજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના રાજૌરી સ્થિત ડાંગરી ગામમાં આતંકી હુમલો થયો છે. નવા વર્ષના પહેલા જ દિવસે આતંકવાદીઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવીને ત્રણ મકાનો પર ગોળીબાર કર્યો હતો.

Top Stories India
2 કાશ્મીરમાં આંતકવાદીઓએ મકાન પર ગોળીબાર કરતા 3 લોકોના મોત,સાત ઇજાગ્રસ્ત

Kashmir   જમ્મુ-કાશ્મીરના રાજૌરી સ્થિત ડાંગરી ગામમાં આતંકી હુમલો થયો છે. નવા વર્ષના પહેલા જ દિવસે આતંકવાદીઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવીને ત્રણ મકાનો પર ગોળીબાર કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે. હુમલાની માહિતી મળતા જ સ્થળ પર પહોંચેલા સુરક્ષાકર્મીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આતંકીની શોધખોળ કરવામાં આવી રહી છે.

જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે ફાયરિંગમાં કેટલા આતંકવાદીઓ સામેલ હતા. પોલીસ અને જિલ્લા પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું છે. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.મહમૂદે જણાવ્યું કે ઘાયલોના શરીર પર ગોળીઓના અનેક નિશાન જોવા મળ્યા છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અન્ય સાત લોકોની સારવાર ચાલી રહી છે.