Amreli News રાજસ્થાનમાં અજમેરની એક હોટેલમાં આગ (fire) લાગવાનો મામલો સામે આવ્યો છે. તો આ દુર્ઘટના (Incident) માં અમરેલીના લાઠીનો એક પરિવાર (family) ઝપેટમાં આવી ગયો હતો. આગ (fire) ની ઘટનામાં લાઠીના એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તમામ મૃતદેહોને આજે વતન લાઠી ખાતે લાવવામાં આવ્યા છે.
લાઠીના પરિવારના 3 સભ્યોનું અજમેરમાં લાગેલી હોટેલની આગમાં મોત થઈ જવાથી મૃતક અલ્ફેઝ નુરાની,પત્ની શબનમ અને તેમના પુત્ર અરમાનના મૃતદેહને વતન લાઠી ખાતે લાવવામાં આવ્યો હતો. એક જ પરિવારના 3 જનાજા નીકળતા શહેરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. લોકોમાં ગમગીનીનો માહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે લાઠી શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો આ જનાજામાં જોડાયા હતા.
આ પણ વાંચો:અમરેલીના મદરેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન, પોલીસે તપાસ હાથ ધરી
આ પણ વાંચો:અમરેલીમાં વલભીપુર-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા 3નાં કમકમાટીભર્યા મોત
આ પણ વાંચો:અમરેલીમાં 16 વર્ષીય કિશોરને માર મરાયો, વીડિયો વાયરલ થતાં કડક કાર્યવાહી કરવા માગ
