ગુજરાત : આજે લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબક્કામાં ગુજરાતની કુલ 26 બેઠકો પર મતદાન કરવામાં આવશે. દૂર-દૂરથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનાં આ પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતનાં પાંચ દિગ્ગજ ખિલાડીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં વંચિત રહેશે.
આ ખિલાડીઓ છે જે મતદાન નહી કરી શકે
રવિન્દ્ર જાડેજા
યુસુફ પઠાણ
હાર્દિક પંડ્યા
કૃણાલ પંડ્યા
પાર્થિવ પટેલ
આ સિવાય અન્ય ગુજરાતી ક્રિકેટરો પણ વોટ આપશે કે નહી તે હજુ સ્પષ્ટ થયુ નથી. તમને જણાવી દઇએ કે, IPLનાં વ્યસ્ત સિડ્યુલનાં કારણે આ ખિલાડીઓ મતદાન કરી શકશે નહી તેવુ સુત્રો જણાવી રહ્યા છે. હાલમાં મળેલી માહિતી મુજબ ટેસ્ટમાં બેસ્ટ કહેવાતા ચેતેશ્વર પુજારાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચેતેશ્વર પુજારા રાજકોટ માટે ચુંટણી પંચનો બ્રાન્ડ એમ્બેસેડર છે.