ફાયરિંગ/ ઇરાનના બજારમાં હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરતા 5 લોકોના મોત 10 ઘાયલ

બંદૂકધારીઓએ એક બજારમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે જ્યારે 10 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

Top Stories World
4 25 ઇરાનના બજારમાં હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરતા 5 લોકોના મોત 10 ઘાયલ

ઈરાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બંદૂકધારીઓએ એક બજારમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે જ્યારે 10 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઈરાનના સત્તાવાર ટેલિવિઝને આ માહિતી આપી છે. આ મુજબ ફાયરિંગની આ ઘટના દક્ષિણ-પશ્ચિમ ઈરાનના ઈજેહ શહેરમાં બની હતી. હુમલાખોરોએ અહીંના બજારમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. હુમલાનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી.

 

 

આ મામલાની માહિતી આપતા ન્યૂઝ એજન્સી IRNAએ કહ્યું કે હુમલાખોરો બે મોટરસાઈકલ પર સવાર થઈને ઈજેહના સેન્ટ્રલ માર્કેટમાં પહોંચ્યા હતા. અને ત્યાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, જેમાં પાંચ લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા 10 ઘાયલ થયા. જો કે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.