રાજ્યમાં આજે એક બાદ એક અકસ્માતની ઘટના સામે આવી છે, ત્યારે આવામાં વધુ 4 અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં મહેસાણા, અરવલ્લી, રાજકોટ અને ભરૂચમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 4 થી વધુ લોકો ગંભીર છે.
મહેસાણા
જો મહેસાણાની વાત કરવામાં આવે તો અહીં પંચોટ તળાવમાં કાર ખાબક્તા એક સાથે ત્રણ લોકોના મોત થઈ નીપજ્યાં છે, આ ઘટનાવહેલી સવારે ડ્રાઈવરને જોકુ આવી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેના કારણે કારમાં સવાર ચાર લોકોમાંથી ત્રણનાં મોત નિપજ્યા છે.જ્યારે એક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અરવલ્લી
મોડાસા સહયોગ ચોકડી પાસે ટ્રેલર ચાલકે બેફામ ટ્રેલર હંકારી એક્ટિવાને કચડી નાખતા ગંભીર અકસ્માત સર્જાયો છે.આ અકસ્માતમાં બાઇક સવાર ગર્ભવતી મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યુ હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.અકસ્માત ઝોન બની ચૂકેલા સહયોગ ચાર રસ્તા પર સલામતી માટે સર્કલ બનાવવા સ્થાનિક લોકોએ માંગ કરી છે.
રાજકોટ
રાજકોટના કાલાવડ રોડ પર અકસ્માત થયો છે. કાલાવડ રોડ પર ફૂલ સ્પીડમાં કારચાલક આવી રહ્યો હતો. કારચાલકે વાહનચાલકને અડફેટે લેતા વાહનચાલક ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
ભરૂચ
ભરૂચ-જંબુસર માર્ગ પર દેરોલ, દયાદરા ગામ વચ્ચે ઈકો અને કન્ટેનર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 વર્ષીય બાળકનું મોત થયુ છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. કન્ટેનર ચાલક ઈકોકારને ઓવર ટ્રેક કરી રહ્યો હતો. આ દરમ્યાન ઈકો કારને ટક્કર વાગી હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…