- ગુજરાત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ માંગી ટિકિટ
- દ્વારકા બેઠક પર પાલ આંબલીયાએ માંગી ટિકિટ
- પાલ આંબલીયા ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ છે
- કાલાવડ બેઠક પર ગિરધર વાઘેલાએ કરી દાવેદારી
- ગિરધર વાઘેલા કિસાન કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ છે
- મોરબી બેઠક પર કાંતિલાલ બાવરવાએ માંગી ટિકિટ
- કેશોદ બેઠક પર મનીષ નંદાણીયાએ નોંધાવી દાવેદારી
- સાણંદ બેઠક પર મહાદેવ વાઘેલાએ માંગી ટિકિટ
- જસદણ વીંછિયા બેઠક પર વિનુભાઈ ધડુકની દાવેદારી
- પાલનપુર બેઠક પર ભરત કરેણએ માંગી ટિકિટ
- જેતપુર બેઠક પર ચેતનભાઈ ગઢીયાએ માંગી ટિકિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,ત્યારે તમામ પાર્ટીઓ હાલ ઉમેદવારોને ફાઇનલ કરવા કામે લાગી ગયા છે. ગુજરાત કિસાન કોંગ્રેસે 8 હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. જે આઠ હોદ્દેદારોએ ટિકીટની માંગણી કરી છે તેમાં દ્વારકા બેઠક પર પાલ આંબલીયાએ ટિકીટ માંગી છે. ઉલ્લેખનીય છે કે પાલ આંબલીયા ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ છે. ત્યારબાદ કાલાવડ બેઠક પર ગિરધર વાઘેલાએ દાવેદારી નોંધાવી છે, ગિરધર વાઘેલા કિસાન કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ છે.
તેવી રીતે મોરબી બેઠક પર કાંતિલાલ બાવરવાએ ટિકીટ માંગી છે. કેશોદ બેઠક પર મનીષ નંદાણીયાએ દાવેદારી નોંધાવી છે. સાણંદ બેઠક પર મહાદેવ વાઘેલાએ ટિકિટ માંગી છે, જસદણ વીંછિયા બેઠક પર વિનુભાઈ ધડુકે દાવેદારી નોંધાવી, જ્યારે પાલનપુર બેઠક પર ભરત કરેણએ ટિકીટ માંગી છે અને જેતપુર બેઠક પર ચેતનભાઈ ગઢીયાએ ટિકીટની માંગણી કરી હોવાની માહિતી સામે આવી છે.
નોંધનીય છે કે કોંગ્રેસ મિશન 2022માં 125 લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આજે કોંગ્રેસ કાર્યલાય ખાતે પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. જેમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા આઠ વચન જન જન સુધી લઇ જવાની રણનીતિ બનાવવામાં આવી છે. કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર લઇ પ્રજા સમક્ષ જશે.
ઉલ્લેખનીય છે કે, તમામ રાજકીય પાર્ટીઓએ મતદારોને આકર્ષવાની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે તો ગુજરાતમાં ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કારણ કે આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની સાથેઆમ આદમી પાર્ટી પણ મેદાને છે. છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતની સત્તામાંથી બહાર છે. ત્યારે કોંગ્રેસે આ વર્ષે ચૂંટણી પહેલા તમામ રણનીતિ તૈયાર કરી દીધી છે.