Pakistan/ ઉત્તરી પાકિસ્તાનમાં ઇમારતની છત ધરાશાયી થતાં 9 લોકોનાં મોત

એક પરિવારના નવ સભ્યોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગિલગિટ બાલ્ટિસ્તાન ક્ષેત્રના ચિલાસ શહેરમાં થયો હતો.

Top Stories World
17 1 ઉત્તરી પાકિસ્તાનમાં ઇમારતની છત ધરાશાયી થતાં 9 લોકોનાં મોત

ઉત્તર પાકિસ્તાનમાં કચ્છના ઘરની છત તૂટી પડતા એક પરિવારના નવ સભ્યોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગિલગિટ બાલ્ટિસ્તાન ક્ષેત્રના ચિલાસ શહેરમાં થયો હતો. આ ઘટનામાં રેસ્ટોરન્ટના વેઈટરની પત્ની, ચાર પુત્રો અને ચાર પુત્રીઓના મોત થયા હતા. અકસ્માત સમયે પિતા કામ પર હતા. મૃતક ભાઈ-બહેનની ઉંમર બેથી 12 વર્ષની વચ્ચે હતી.

ઉલ્લેખનીય છે કે આ ઘટના જે વિસ્તારમાં બની હતી ત્યા ખળભળાટ મચી જવા પામ્યો છે અને લોકોમાં દહેશતનો માહોલ છે, હાલ ઇમારતના કાટમાળને હટાવવામાં આવી રહ્યું છે, પોલીસ હાલ બચાવ કામગીરીમાં લાગી ગઇ છે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઇમારત ધરાશાયી થતાં 9લોકોના મોત થતા આજુબાજુ વિસ્તારમાં માતમ છવાઇ ગયો છે.