Sunlight Vitamin D: ઉનાળામાં આપણે સૂર્યપ્રકાશથી દૂર ભાગી જતા હોઈએ છીએ, પણ શિયાળામાં આપણે સુર્યપ્રકારના તાપમાં રહેવાની મજ આવે છે કારણ કે તે આપણને ઠંડીથી રાહત આપે છે. આ સિવાય આપણા શરીર માટે ઘણા ફાયદાકારક હોય છે, મોટાભાગના લોકો જાણે છે કે સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે, પરંતુ શું તમે જાણો છો કે તમને આ વિટામિન કયા સમયે મળે છે? આ સિવાય એવું નથી કે જો તમે લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં બેસશો તો તમને તેનો ફાયદો મળશે, તો ચાલો જાણીએ કે તમારે ક્યારે સૂર્યપ્રકાશ લેવો જોઈએ? આનાથી તમને શું ફાયદો થશે?
જો તમારે સવારે વિટામિન ડી લેવું હોય , તો તમે સવારે 8 વાગ્યે 25 થી 30 મિનિટ માટે સૂર્યપ્રકાશ લઈ શકો છો કારણ કે આ સમયે વિટામિન ડી સારી રીતે ઉપલબ્ધ હોય છે. જો તમે સાંજના સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી લેવા માંગતા હો, તો તમે આ વિટામિન સૂર્યાસ્ત સમયે મેળવી શકો છો.
જાણો સૂર્યપ્રકાશના ફાયદા
વિટામિન ડી
સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવવાથી ઘણા ફાયદા થાય છે. આમાં સૌથી વધુ લોકપ્રિય છે વિટામિન ડી. આજના સમયમાં ઘણા લોકો વિટામિન ડીની ઉણપથી પીડાય છે. તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સિવાય તે આપણા શરીરને પણ ઉર્જાવાન રાખે છે.
સૂર્યમાં હાજર UVA
શરીરને સૂર્યપ્રકાશથી UVA મળે છે, જે આપણા રક્ત પ્રવાહને સુધારે છે. આ સિવાય તે બ્લડ ગ્લુકોઝ લેવલને પણ સુધારે છે.
ઊંઘ માટે સારું
જો તમે ઊંઘને કારણે પરેશાન છો, તો સૂર્યપ્રકાશ તમારા માટે ખૂબ જ મદદરૂપ થશે કારણ કે તે તમને ગાઢ નિંદ્રા મેળવવામાં મદદ કરે છે. સૂર્યપ્રકાશમાં મેલાટોનિન નામનું હોર્મોન હોય છે, જે તમને ગાઢ ઊંઘ કરાવે છે.
આ પણ વાંચો: વસાન/બોલીવુડના મશહુર અભિનેત્રી તબસ્સુમનું 78 વર્ષની વયે નિધન