દિલ્લી .
કેન્દ્રીય વિત્ત મંત્રી અરુણ જેટલીનું આજ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ) માં આજ કીડની ટ્રાન્સપ્લાન્ટ સફળ રીતે થઇ ગયું છે.
હોસ્પિટલ સુત્રો પ્રમાણે જાણકારી મળી આવોઈ છે. સૂત્રોમાં જાણવા મળ્યું છે કે 65 વર્ષીય જેટલીને રવિવારે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને આજ સવારે આઠ વાગ્યે ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવ્યા હતા. કિડનીની તકલીફથી ગ્રસ્ત કેન્દ્રીય વિત્તમંત્રીનું પાછલા એક મહિનાથી ડાયલિસિસ ચાલુ હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર, અપોલોના ગુર્દા પ્રતિરોપણ નિષ્ણાત ડો. સંદીપ ગુલેરિયા અને તેમના ભાઈ એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયા પણ ટ્રાન્સપ્લાન્ટ કરનાર સમૂહમાં હતા. બંને જેટલીના પારિવારિક મિત્ર છે. આગલા અઠવાડિયે થનાર 10 માં ભારત-બ્રિટેન આર્થિક અને વિત્તીય વાર્તા માટે લંડન જવાનું કાર્યક્રમ પણ મંત્રીએ રદ્દ કરવો પડ્યો હતો. 6 એપ્રિલે એક ટ્વિટના માધ્યમથી તેમને પોતાના તબિયતની પુષ્ટિ કરી હતી. આપને જણાવી દઈએ કે ઘણા વર્ષો પહેલા અરુણ જેટલીનું હૃદયનું ઓપરેશન પણ થયેલું છે.