હિંમતનગર,
હિંમતનગરના ઢુંઢરમાં 14 માસની બાળકી સાથે બળાત્કારની ઘટના બન્યા બાદ રાજ્યમાં બિન-ગુજરાતી લોકો પર હુમલા શરૂ થયા હતા. આ ઘટના બાદ ઘણા લોકો ગુજરાત છોડીને પોતાના વતન પણ પરત ફરી ગયા છે. જેને લઈને તેની અસર ગુજરાતના ઉદ્યોગો પર પડી છે. આજે ઘણી ફેક્ટરીઓ બંધ છે. એક તરફ નવરાત્રી, દશેરાના તહેવારો સામે આવી રહ્યા છે ત્યાં હાલના માહોલને લઇને ઉત્તરભારતીય વિસ્તારના કારીગર શ્રમીકો પરત વતન ફરવાને લઇને હવે તહેવારો પણ બગડે તેવી ભીતી વ્યાપી રહી છે.