પાટણ,
પાટણમાં નર્મદા કેનાલથી સિંચાઈનું પાણી નહિં મળતા 10 ગામના ખેડૂતો દ્વારા ધરણાં કરવામાં આવી રહ્યા છે. સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતો આક્રામક બનયા છે. જેને લઈને 10 ગામના ખેડૂતો દ્વારા સાંતલપુર તાલુકાના ઝઝામ ગામના ખેડૂતો દ્વારા ધરણાં કરવામાં આવી રહ્યા છે. તો આગામી સમયમાં પાણીની માંગને લઈને ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે.