સોમવારે ભાવનગર જિલ્લાના એક તળાવમાં ત્રણ ભાઈઓનું ડૂબી જવાથી મોત નીપજયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્રણેય ભાઈઓની ઉંમર 6 થી 10 વર્ષની વચ્ચે હતી.
આ ઘટના બપોરે પાલિતાણા તાલુકાના વીરપુર ગામમાં બની છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસી સૂખાભાઇ ચૌહાણના પુત્રો હાર્દિક (છ), ચિરાગ (આઠ) અને પૃથ્વી (10) તળાવમાં નહાવા ગયા હતા.પરંતુ તેઓ ત્યાં ડૂબી ગયા હતા.
અધિકારીએ જણાવ્યું કે આસપાસના લોકો બાળકોને બચાવવા તળાવમાં કૂદી પડ્યા હતા, પરંતુ તેમને બચાવી શક્યા નહીં. બાદમાં સ્થાનિક લોકોએ થોડા સમય બાદ લાશને બહાર કાઢી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.