સિંહો જંગલો છોડીને બિન જંગલ વિસ્તારોમાં ઘૂમી રહયા છે ત્યારે ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. જંગલ છોડી બિનજંગલ વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં સિંહોની લટાર મારતા અને પશુના મારણના વિડિઓ સોસીયલ મીડિયા પર વાયરલ થઈ રહયા છે. સિંહોની લટારથી અને ખેડૂતોના પશુઓના મારણથી ખેડૂતમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.તો બીજી બાજુ વનઅધિકારીઓ ની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
થોડા સમય પહેલા બાબરામાં 5 સિંહોએ મારણ કર્યાના સમાચાર હતા. ત્યાર બાદ ચોટીલામા ત્રણ સિંહોના સમાચાર અને બે સિંહો વડિયા પંથકમા હોવાના વિડીયો વાયરલ થયા હતા. ત્યારે વડિયા પંથકમાં ખેડૂતોના પશુઓના મારણની ઘટનાઓ પણ બની રહી છે.
ત્યારે ત્રણ દિવસથી વડિયા પંથકમાં સનાળા, ભાયાવદર અને ઉજળામા પશુઓના મારણ કરેલના સમાચાર મળી રહયા છે. ત્યારે સિંહો જંગલો છોડીને બિન જંગલ વિસ્તારોમાં ઘૂમી રહયા છે. ત્યારે ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે અને જંગલ છોડી બિનજંગલ વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં સિંહોની લટારનો મારણના વિડિઓ સોસીયલ મીડિયા પર થઈ રહયા છે. આ વાયરલ થઇ રહેલા સિંહોની લટારના વિડીયો અને પશુનું મારણથી ખેડૂત વર્ગમાં અને લોકોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે અને વનઅધિકારીઓની કામગીરી પર સવાલ ખાડા થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.