![શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ 3 72671f57b882895eaaf5b69cc25fccff શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/08/72671f57b882895eaaf5b69cc25fccff.png)
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે હોસ્પીટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે એફએસએલ અને ફાયર વિભાગના રિપોર્ટ બાદ ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ હવે ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરવામાં આવી છે.
નોધનીય છે કે, શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા હતા. થોડા દિવસો અગાઉ અમદાવાદ ના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર મા આવેલ શ્રેય હોસ્પીટલ મા મધરાત્રી એ icu વોર્ડ મા આગની ઘટના ઘટી હતી. જેમાં કોરોના ની સારવાર લઈ રહેલ 8 દર્દી ના દુઃખદ મોત થયા હતા.
ત્યારે આ મોત નું મુખ્ય જવાબદાર કોણ છે તેને લઈ ને નવરંગપુરા પોલીસે હોસ્પિટલ ના માત્ર એક જ ટ્રસ્ટી સામે બેદરકારી નો ગુનો દાખલ કરી સંતોષ માની લઈ ને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે ટ્રસ્ટી ભરત મહંત ની ધરપકડ કરીને રિમાન્ડ મેળવા ની તજવીજ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.