સુરતમાં દિનપ્રતિ દિન હત્યાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. એક પછી એક હત્યાની ઘટનાઓ સામે અવી રહી છે. આવામાં અવધુ એક ઘટના સામે આવી છે. પાંડેસર વિસ્તારમાં કોઇ અજાણ્યા શખ્સોએ એક યુવકને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ઘરી છે.
મળતી માહિતી અનુસાર, શહેરના સિંગણપોર વિસ્તારમાં ગાંધીનગર સોસાયટીમાં રહેતો નીખીલ રતિલાલ વણકર ઘરેથી નોકરી જાઉં છું તેમ કહી બહાર નિકળ્યો હતો. જો કે બાદમાં પાંડેસરા આવિર્ભાવ સોસાયટી નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. યુવકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. યુવક સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતો હતો. મૃતક યુવાનના પિતાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન