ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગયો છે. બનાસકાંઠાના વાવ ખાતે યુથ કોંગ્રેસ મંત્રી પોતાના 200થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. આ કાર્યકરો મંત્રી શંકર ચૌધરીની આગેવાનીમાં ભાજપમાં જોડાયાં છે. કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસને આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટુ નુકસાન તેવી શક્યતા છે..