જેવી ઋતુ બદલા છે કે તુરંત જ તેની અસર આપણા શરીર પર જોવા મળતી હોય છે. ઋતુ બદલાવાની સાથે તેની અસર આપણા શરીર પર પણ પડવા લાગે છે. શિયાળો આવી ગયો છે અને તેની સાશે શરદી-ખાંસી જેવી સમસ્યાઓ પણ પોતાની સાથે લઇને આવ્યો છે. પરંતુ આ બીમારીઓથી બચવુ હોય તો ટિપ્સને ફોલો કરો અને સ્વસ્થ રહો.
શિયાળામાં ઠંડી અને આળસનાં કારણે આપણે વ્યાયામ કરવાનું પસંદ નથી કરતાં તેથી વજન ન વધે અને તમે બીમારીઓથી દૂર રહો એટલા માટે વ્યાયામ કરવો જરૂરી છે.
આ ઋતુ દરમિયાન હેલ્ધી ચીજવસ્તુઓનું સ્વન કરવું હિતાવહ રહેશે. જેમ કે મોસમી ફળ અને શાકભાજી ખાઓ. સ્ટાર્ચ યુક્ત અને તૈલી ભોજનથી દૂર રહો. શરદી સામે લડત આપવા માટે લસણનો વધારે ઉપયોગ કરો. તેનાથી તમે શરદીથી બચી શકશો.
આ સમયે સાંધાના દુખાવાની સમસ્યા વધી જાય છે. જે લોકો હ્રદય રોગ,સંધિવા અને અસ્થમાના રોગી હોય તેમણે સાવધાની રાખવાની જરૂરિયાત છે. તેથી ગરમ કપડા પહેરવા જરૂરી છે.
શિયાળાની ઋતુમાં આપણે આળસુ બની જઇએ છીએ. જો તમે પૂરતી ઉંઘ નહી લો તો તમે થાકી જશો અને તેનાથી બીમાર થવાની સંભાવના વધી જશે.