આઈપીએલ 2020 નાં અંતને એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે, ત્યારે બીસીસીઆઈએ આઈપીએલ 2021 ની તૈયારી શરૂ કરી દીધી છે. આઈપીએલ 2021 વિશેનો સૌથી મોટો સવાલ એ છે કે શું આઈપીએલ 2021 માં ફક્ત આઠ ટીમો રમશે અથવા તેમની સંખ્યા નવ કે દસ થઈ જશે. બીસીસીઆઈ આ અંગે શું વિચારી રહ્યું છે તે બહાર આવશે. બીસીસીઆઈની એજીએમ 24 ડિસેમ્બરે યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે, તેમા ટીમોની સંખ્યા અંગે નિર્ણય લેવામાં આવશે, સાથે જ એ પણ જાણવામાં આવશે કે ટીમો વધશે તો તે કોણ હશે.
આઈપીએલ 2020 ની ફાઇનલ યુએઈમાં 10 નવેમ્બરનાં રોજ રમાઈ હતી. ત્યારબાદ આઇપીએલ 2021 ની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદથી ટીમોની સંખ્યા અંગે પ્રશ્નો શરૂ થઇ ગયા હતા. આ વર્ષે પણ આઈપીએલ માર્ચથી મે દરમિયાન શરૂ થવાની હતી, પરંતુ જ્યારે આ બધું તૈયાર થઈ ગયું હતું, તે દરમિયાન, અચાનક કોરોના વાયરસ ઝડપથી ફેલાવા લાગ્યો હતો અને આઈપીએલ 15 મી એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ આ પછી પણ જ્યારે પરિસ્થિતિમાં સુધારો થયો નહીં ત્યારે આઈપીએલ ફરીથી મુલતવી રાખવી પડી. જ્યારે ભારતમાં આઈપીએલની સંભાવના જોવા મળી ન હોતી, ત્યારે બીસીસીઆઇએ સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી યુએઈમાં આઈપીએલનું આયોજન કર્યું હતું. બીસીસીઆઈ દ્વારા સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો હતો. હવે આવતા વર્ષે આઈપીએલમાં વધારે સમય બાકી નથી. દરમિયાન, બીસીસીઆઈએ ઘણી તૈયારીઓ કરવી પડશે.
પ્રથમ ટીમો વિશે નિર્ણય લેવાનો છે. એવું માનવામાં આવે છે કે નવમી ટીમ માટે, અમદાવાદનું નામ લગભગ ફાઇનલ થઈ ગયું છે, જો કે જાહેરાત હજુ બાકી છે. વળી દસમી ટીમમાં કાનપુર, લખનઉ અને પૂણેનું નામ બહાર આવ્યુ છે. આમાંની ઓછામાં ઓછી એક ટીમ આઈપીએલમાં શામેલ થઈ શકે છે. ત્યારે આઈપીએલ 2021 માં દસ ટીમો રમતી જોવા મળી શકે છે. વળી જો ટીમોમાં વધારો થાય છે, તો આઈપીએલ 2021 માટે મેગા હરાજી પણ કરવામાં આવશે. બીસીસીઆઈએ જાન્યુઆરીમાં સૈયદ મુસ્તાક અલી ટી 20 ટ્રોફી જાહેર કરી છે, જે જાન્યુઆરીથી શરૂ થશે. રણજી ટ્રોફી અને દિલીપ ટ્રોફી વિશે કોઈ અપડેટ નથી. આવી સ્થિતિમાં, હરાજી ફેબ્રુઆરીમાં જ જોવા મળે તેવી સંભાવના છે.
Cricket / CSK નાં આ પૂર્વ ખેલાડીએ ક્રિકેટનાં દરેક ફોર્મેટમાંથી લીધો સં…
Cricket / ICC રેકિંગમાં ટોપ 10 માંથી બહાર થયો જસપ્રિત બુમરાહ…
Cricket / પ્રથમ ટેસ્ટમાં હાર બાદ અનુષ્કા શર્મા થઇ ટ્રોલ, જુઓ કેવા બની
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…