ભારતીય ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સીરીઝ 12 માર્ચથી શરૂ થવાની છે. જેને લઇને ક્રિકેટ ફેન્સ ઘણા ઉત્સાહી છે. આ પાંચ મેચોની ટી-20 સીરીઝમાં કેપ્ટન કોહલી માટે એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક છે.
Cricket / IPL પહેલા રિંકી પોન્ટિંગે પંત, અશ્વિન અને અક્ષરને લઇને કર્યુ ખાસ ટ્વીટ
જી હા, ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે. જો વિરાટ કોહલી 72 વધુ રન બનાવવામાં સફળ થાય છે ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી પાસે આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં 3,000 રન પૂરા કરવાનો અને વિશ્વનો પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન બનવાની તક છે. આજ-દિન સુધી કોઈ પણ ક્રિકેટરે આ સિદ્ધિ મેળવી નથી. વિરાટ હાલમાં ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર છે. તેણે 2010 થી 2020 વચ્ચે 85 ટી-20 મેચોમાં 2928 રન બનાવ્યા છે. જો તે ઈંગ્લેન્ડ સામે માત્ર 72 રન બનાવશે, તો તે 3000 રનનાં મંચ સુધી પહોંચીને ઇતિહાસ રચશે.
Cricket / શું આ મહિલા ક્રિકેટરમાં સેહવાગની આવી છે આત્મા? જુઓ વીડિયો
ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની બેટિંગની એવરેજ 50 કરતા વધારે છે અને આ કિસ્સામાં તે વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટે 25 અડધી સદી ફટકારી છે, જેમાં 81 છક્કાનો સમાવેશ થાય છે.
Cricket / લોડ્સનાં મેદાન પર ટીમ ઈન્ડિયાનું ઇતિહાસ રચવાનું સપનુ તૂટ્યું, ગાંગુલીએ કર્યો ખુલાસો
ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન
- વિરાટ કોહલી (ભારત) – 2928
- માર્ટિન ગુપ્ટિલ (ન્યૂઝીલેન્ડ) – 2839
- રોહિત શર્મા (ભારત) – 2773
- 4. એરોન ફિંચ (ઓસ્ટ્રેલિયા) – 236
- શોએબ મલિક (પાકિસ્તાન) – 2335
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…