રાજય માં વધતા જતા સંક્રમણને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આવતીકાલે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.
ગુજરાત ના મોટા ભાગ ના શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવાનું નક્કી કરાયું છે.
આ ઉપરાંત વધતા જતા સંક્રમણને લઈને જૂનાગઢનું સક્કરબા ઝુ પ્રવાસીઓ માટે બંધ રાખવમાં આવ્યું છે .આ ઉપરાંત કર્મચારીઓની હાજરી પણ 50 ટકા કરાઈ તેમજ સક્કરબા ઝુને કરાયુ સેનેટાઈઝર .