દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ@ સુરેન્દ્રનગર
મુળી તાલુકાનાં સરા ગામે વરસાદનાં પાણીનાં કુદરતી વહેણને બંધ કરવામાં આવતાં હાલ ગ્રામજનો ને હાલાકી ભોગવવી પડે રહી છે. સરામાં વરસાદનાં પાણીનાં વહેણને અટકાવવામાં આવેલ છે, આ રસ્તા ઉપર પ્રાથમિક શાળા અને દુકાનો આવેલ છે. અનેક વિધાર્થીઓને શાળા એ જતી વખતે ભરાયેલા પાણી માં થઈ ને જવું પડે તેવી નોબત આવી છે.
વધું પ્રાપ્ય વિગત મુજબ આ વરસાદ નાં પાણી નો નિકાલ કુદરતી વહેણ હોય અને સરકારી ખરાબાની જગ્યાએ થી ચાલતું હોય તેમ છતાં સરા ગામમાં નાં વ્યક્તિ એ વહેણ માં માટી પથ્થરનાં ટ્રેક્ટર ખાલી કરી આડશ ઊભી કરતાં હાલ બજારમાં પાણી ભરાયાં છે, અને અનેક રાહદારીઓ અને ગ્રામજનો ને મુશ્કેલી વેઠવી પડે છે.
જો આ વહેણને ખુલ્લું કરવામાં નહીં આવે તો રોગચાળો પણ ફેલાવાનો ભય ગ્રામજનો એ વ્યક્ત કર્યો છે. તો સરા ગામ પંચાયતનાં સતાધીશો આ વહેણ ચાલુ કરાવવા આ આડશો ને દૂર ખસેડવામાં આવે અને આડશ ઉભી કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી તેવી લોકમાંગ ઉઠવા પામી છે.