ભીંતચિત્ર વિવાદ/ મને જાણ કર્યા વિના જ મારા નામે ફરિયાદ નોંધાવી: સિક્યોરિટી ગાર્ડ ભૂપત ખાચર

ફરિયાદી સિક્યોરિટી ગાર્ડ ભૂપત ખાચરે જણાવ્યું છે કે મને જાણ કર્યા વિના જ મારા નામે ફરિયાદ કરાવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદી બન્યા જાણ થઇ છે.

Gujarat Others Trending
Add a heading 3 મને જાણ કર્યા વિના જ મારા નામે ફરિયાદ નોંધાવી: સિક્યોરિટી ગાર્ડ ભૂપત ખાચર

સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. બે દિવસ પહેલા હર્ષદભાઈ ગઢવી નામના વ્યક્તિ દ્વારા પ્રતિમા પાસે જઈને ભીંતચિત્રો પર કાળો રંગ લગાવીને કુહાડીથી તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો જાહેર કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.   ફરિયાદી સિક્યોરિટી ગાર્ડ ભૂપત ખાચરનું નિવેદન સામે આવતા ચકચાર મચી છે.

ફરિયાદી સિક્યોરિટી ગાર્ડ ભૂપત ખાચરે જણાવ્યું છે કે મને જાણ કર્યા વિના જ મારા નામે ફરિયાદ કરાવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદી બન્યા જાણ થઇ છે. ભીંતચિત્રો પર કલર કર્યો ત્યારે મંદિરમાં મારી ડ્યુટી હતી. બનાવ બન્યા બાદ મંદિરમાં બોલાવવામાં આવ્યો હતો. તથા ઓફિસમાં એક કાગળ ઉપર સહી કરાવી હતી. કોઇની પણ લાગણી દુભાઇ હોય તો માફ કરશો. જેમાં ભૂપત ખાતરે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

તેઓએ કહ્યું કે, ‘જે બાદ સાંજે હું નોકરી પૂરી કરીને ઘરે ગયો, સવારે મને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે આ કેસમાં મને ફરિયાદી બનાવવામાં આવ્યો છે. હું ચારણ સમાજ અને અન્ય સમાજને જણાવવા માગું છું કે મને મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે ઉમેરવામાં આવ્યો છે. આમાં હું કંઈ જાણ તો નથી, હું નિર્દોષ છું.’

ઉલ્લેખનીય છે કે,બે દિવસ અગાઉ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રો પર ચારણકી ગામના હર્ષદ ગઢવી નામના શખ્સે કાળો કલર કર્યો હતો અને તોડફોડ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા હર્ષદ ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરે ભીંતચિત્રો પર કાળો કલર મારવાના મામલે ત્રણ શખ્સો હર્ષદ ગઢવી, જેસિંગ ભરવાડ અને બળદેવ ભરવાડ વિરૂદ્ધ મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય સામે સેથળી ગામના અને મંદિરના સિક્યોરિટી ગાર્ડ ભૂપત સાદુળભાઈ ખાચરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો:ચલમ પીનારા પોતાને સનાતની ગણાવે છેઃ દર્શન સ્વામી

આ પણ વાંચો:અમદાવાદના ન્યુયોર્ક ટાવરમાં લાસ વેગાસને પણ ટક્કર મારે તેવું જુગારધામ

આ પણ વાંચો:સાળંગપુર ભીતચિત્રો મામલે સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા

આ પણ વાંચો:સ્વામિનારાયણ મંદિર પરિસરમાં હનુમાનજીનું અપમાન, સનાતની સંતોનો રોષ ચાલુ