ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરવા સબબ દેશના કેટલાક શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે. દેશભરમાંથી આવા શિક્ષકોની યાદી બનાવી તેમને સન્માનિત કરવામાં આવશે. દેશભરમાંથી આવા ૪૪ શ્રેષ્ઠ શિક્ષકો ના નામ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૧ માટે પસંદ કરવામાં આવ્યા છે.
જેમાં ગુજરાતના બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને રાજકોટના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે રાજ્ય માટે ગર્વની વાત છે. પસંદ કરાયેલા શિક્ષકોમાં કચ્છ જિલ્લાના હિતેન ધોળકિયા વિદ્યાલય ભુજના શિક્ષક અશોકકુમાર મોહનલાલ પરમારની રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતના રાજકોટના શ્રી વિનોબા ભાવે શાળા નં-૯૩ના આચાર્યા વનીતાબેન ડાહ્યાભાઈ રાઠોડની પણ પસંદગી કરવામાં આવી છે.
કચ્છ ના શિક્ષક અશોક કુમાર પરમારની પસંદગી રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક ૨૦૨૧ થતાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી. એન. પ્રજાપતિએ અને શિક્ષણ જગતે તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે .
ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!
અમેરિકાએ કર્યું કઈ એવું કે અફઘાનિસ્તાનમાં સત્તા પર આવવા છતાં તાલિબાન પૈસા માટે રહેશે મોહતાજ
Pride / આ સ્વદેશી કંપનીના વેચાણના આંકડાઓ જોઈ ચોંકી જશો, માત્ર 24 કલાકમાં 1 લાખ વાહનો વેચાયા
Technology / વોટ્સએપ પેમેન્ટમાં ઉમેરાયું આ અદ્ભુત ફીચર, પૈસા ટ્રાન્સફર કરવું બનશે વધુ સરળ
ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!
ઓલાની ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી ઓક્ટોબરથી શરૂ થશે, 500 રૂપિયાથી ઓછી કિંમતે કરાવો બુક
જો તમે રાત્રે લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો તો આ ટીપ્સ વાંચો, મુસાફરી આરામદાયક રહેશે
અક્સિર ઈલાજ! / માથાનો દુખાવો થાય ત્યારે આ ચીજ પીવાથી તરત મળે છે રાહત