સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી જતી. જેમ અલાખો લોકો કોરોનામાં મ,રુત્યું પામ્યા હતા . ત્યારે કોરોના કેસોબાદમાં ફરી પાછા દિવાળી બાદ વધતા જોવા મળી રહ્યા છે . જે અંતર્ગત રાતથી નાઇટ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. . આ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. આ અંગેની જાણકારીજિલ્લાના એક ઉચ્ચ જિલ્લા અધિકારીએ આ માહિતી આપી. તેમજ દરેક વ્યક્તિએદરેકને કોરોના નિયમોનું પાલન કરવા અને સંપૂર્ણ રસીકરણ કરવાની સલાહ પણ આપી છે .
આ પણ વાંચો ;ગુરુ પર્વ પહેલા શીખ ભક્તોને ભેટ / આજથી ફરી ખૂલી રહ્યો છે કરતારપુર કોરિડોર, જાણો આ વખતે શું થશે ફેરફાર……..
આપને જણાવી કે કાશ્મીર ખીણમાં ફરી એકવાર કોરોના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લા એક સપ્તાહથી કોવિડ હોસ્પિટલોમાં દાખલ થયેલા કેસોની સંખ્યા સાજા થઈ રહેલા કેસો કરતા ઘણી વધારે છે. શ્રીનગરને અડીને આવેલા ખોમોહ વિસ્તારમાં સ્થિત ડીઆરડીઓ હોસ્પિટલમાં દરરોજ દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આને સંભવિત ત્રીજા કોવિડ તરંગની નિશાની તરીકે ગણી શકાય, જેની સામે લડવા માટે માત્ર કોવિડ યોગ્ય વર્તન જ મદદ કરી શકે છે.
આ પણ વાંચો ;હુમલો / ઓડિશામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસ મામલે CBI ટીમ પર હુમલો
જમ્મુ-કાશ્મીરના કોરોનાના આંકડાઓ પર નજર કરીએ તો આ આંકડો 3 લાખ 34 હજારને પાર થયો છે . કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4 હજાર 453 લોકોના મોત થયા છે. કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને જમ્મુમાં 17 નવેમ્બરથી નાઇટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કોવિડના યોગ્ય વર્તન પર કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. કોવિડના વધતા જતા કેસોને જોતા હતા. તેમણે કહ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં કોરોના કર્ફ્યુ લાદવાની જોગવાઈ હશે તેમજ વધતા જતા કેસોને પહોંચી વળવા રણનીતિ બનાવવામાં આવશે.