Baba Ramdev: ભારતના 74માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બાબા રામદેવે એક કાર્યક્મમાં પાકિસ્તાનના ચાર ટુકડા થવાની વાત કરી છે. ભવિષ્યવાળી રામદેવ બાબાએ કરી છે. યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું છે કે ટૂંક સમયમાં પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે. બાબા રામદેવે હરિદ્વારમાં પતંજલિ યોગપીઠમાં કહ્યું હતું કે ચાર ટુકડા કર્યા પછી, 3 ભારતમાં ભળી જશે અને પાકિસ્તાન એક નાનો દેશ બનીને રહી જશે.
બાબા રામદેવે (Baba Ramdev) આ ભવિષ્યવાણી એવા સમયે કરી છે જ્યારે પાકિસ્તાન તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. પાડોશી દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને લોકો અનાજ પર નિર્ભર બની ગયા છે. યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે બલૂચિસ્તાન, પીઓકે અને પંજાબને પાકિસ્તાનથી અલગ કરવામાં આવશે. પાકિસ્તાન એક નાનો દેશ રહેશે. PoK ભારતમાં ભળી જશે, ત્યારબાદ બલૂચિસ્તાન પણ આગળ આવશે અને કહેશે કે ભારતમ્ શરણમ ગચ્છામી કારણ કે પંજાબ સિંધ આ બધા હિંદુઓના સાથી છે, તેમની સાંસ્કૃતિક એકતા છે.
તેમણે વધુમાં કહ્યું, ‘ટૂંક સમયમાં (Baba Ramdev) જ પાકિસ્તાનના 4 ટુકડા થઈ જશે અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ ભારતમાં ભળી જશે. પંજાબ સિંધ પ્રાંત પણ ભારતમાં ભળી જશે અને બલૂચિસ્તાન પણ ભારતમાં ભળી જશે. ભારત મહાસત્તા બનશે, આ આવનારા સમયની હાકલ છે અને થવાનું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પહેલાથી જ બે ટુકડામાં વહેંચાયેલું છે. બાંગ્લાદેશે 1971માં ભારતની મદદથી પાકિસ્તાનથી આઝાદી મેળવી હતી. કાશ્મીરના મોટા ભાગ પર પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો છે. પાકિસ્તાનના ક્રૂર શાસન અને દુર્દશાને કારણે પીઓકેમાં અસંતોષની લહેર છે. અહીં અવારનવાર ભારત તરફી અને પાકિસ્તાન વિરોધી પ્રદર્શનો થાય છે. સાથે જ બલૂચિસ્તાનમાં પણ પાકિસ્તાનથી અલગ થવાની ઝંખના જાગી છે.