કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર વિસ્તારમાં ઓટ્ટુમપુરમ પાસે રવિવારે (7 મે) સાંજે એક હાઉસબોટ ડૂબી ગઈ હતી. બોટમાં સવાર બાળકો સહિત 15 લોકોના મોત થયા હતા. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ન્યૂઝ એજન્સી ANIને આ વાતની પુષ્ટિ કરતા કેરળના મંત્રી વી અબ્દુરહમાને કહ્યું કે બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે. આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ વળતરની જાહેરાત કરી છે. PMએ ટ્વિટ કર્યું કે કેરળના મલપ્પુરમમાં બોટ દુર્ઘટનામાં લોકોના મોતથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. PMNRF તરફથી 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને એક્સ-ગ્રેશિયા તરીકે આપવામાં આવશે.
Pained by the loss of lives due to the boat mishap in Malappuram, Kerala. Condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be provided to the next of kin of each deceased: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 7, 2023
પોલીસે જણાવ્યું કે, અકસ્માત સ્થળ પરથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, બોટમાં લગભગ 25 મુસાફરો હતા, જેમાંથી 15ના મોત થયા છે જ્યારે ઘણા લોકોને નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેણે જણાવ્યું કે આ ઘટના સાંજે લગભગ 7 વાગે બની હતી.