military helicopter Cheetah: અરુણાચલ પ્રદેશના બોમડિલાના પશ્ચિમમાં મંડલા નજીક ગુરુવારે સવારે આર્મીનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં બે પાઈલટ હતા જેમાં બે સેના અધિકારીઓ હતા. સંરક્ષણ પ્રવક્તાએ આ માહિતી આપી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પશ્ચિમ કામેંગ જિલ્લાના એસપી BR બોમરેડ્ડીએ જણાવ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને પાયલોટના મોત થયા છે.
સેનાએ જણાવ્યું કે આ હેલિકોપ્ટર સવારે 9 વાગે જિલ્લાના સાંગે ગામથી ઉડાન ભરીને આસામના સોનિતપુર જિલ્લાના મિસામારી જઈ રહ્યું હતું. તેમાં એક લેફ્ટનન્ટ અને મેજર હતા. બંને પાયલોટની ઓળખ થઈ ગઈ છે. દુર્ઘટના સ્થળેથી મેજર જયંત અને લેફ્ટનન્ટ કર્નલ BB રેડ્ડીના મૃતદેહ મળી આવ્યા છે. બંનેના મૃતદેહને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, બંનેના મૃતદેહ સાંજે લગભગ 4 વાગે મળી આવ્યા હતા.
જાણો આર્મીના ચિત્તા હેલિકોપ્ટર વિશે
ચિત્તા હેલિકોપ્ટર HAL દ્વારા ફ્રેન્ચ કંપની Aérospatiale સાથે મળીને બનાવવામાં આવ્યું છે.
ચિત્તા હેલિકોપ્ટરને વર્ષ 1976-77માં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું.
ચિત્તા હેલિકોપ્ટરમાં માત્ર એક જ એન્જિન છે, જે પાંચ સીટર હેલિકોપ્ટર છે
ચિત્તા હેલિકોપ્ટરે ખૂબ જ ઉંચાઈ પર ઉડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે
21 જૂન 1972ના રોજ ચિત્તા હેલિકોપ્ટરે 12 હજાર 442 મીટરની ઉંચાઈ પર ઉડીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.
ચિત્તા હેલિકોપ્ટરની સૌથી મોટી વિશેષતા હલકો વજન છે. જેના કારણે તે સૌથી મોટા મિશનને સફળ બનાવવામાં મદદ કરે છે. સિયાચીન જેવા ઊંચા અને મુશ્કેલ વિસ્તારોમાં પણ ચિત્તા હેલિકોપ્ટર સરળતાથી ટેકઓફ કરી શકે છે. આ હેલિકોપ્ટર દ્વારા સેનાના જવાનોને મદદ પૂરી પાડવામાં આવે છે. સિયાચીનમાં સામાન પહોંચાડવા અથવા મુશ્કેલીમાં ફસાયેલા સેનાના જવાનો અને લોકોને બચાવવા માટે ચિત્તા મહત્વની ભૂમિકા સાબિત થાય છે. ચિત્તાએ સમયાંતરે આ બધું બતાવ્યું છે. આ એ જ ચિત્તા હેલિકોપ્ટર છે જેણે કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકોને પર્વતો પર સુરક્ષિત રીતે ઉતાર્યા હતા. તે યુદ્ધ જીતવામાં તેનો મોટો ફાળો હતો.
લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું કે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો આ હેલિકોપ્ટર સાથે સવારે 9.15 વાગ્યે સંપર્ક તૂટી ગયો, જે ઓપરેશનલ ફ્લાઈટ પર હતું. તેણે કહ્યું, ‘તે બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે ક્રેશ થયું હતું. સર્ચ અને રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. વિશેષ તપાસ શાખાના પોલીસ અધિક્ષક રોહિત રાજબીર સિંહે જણાવ્યું કે દિરાંગના ગ્રામીણોએ ક્રેશ થયેલા હેલિકોપ્ટરને સળગતું જોયું અને જિલ્લા વહીવટી અધિકારીઓને જાણ કરી. સિંહે કહ્યું, ‘દિરાંગના બંગજલેપના ગ્રામવાસીઓએ લગભગ 12:30 વાગ્યે હેલિકોપ્ટરને સળગતું જોયું.’ તેમણે કહ્યું કે તે વિસ્તારમાં કોઈ ‘મોબાઈલ કનેક્ટિવિટી’ નથી અને એટલું ધુમ્મસ ફેલાઈ ગયું છે કે વિઝિબિલિટી ઘટીને માત્ર પાંચ મીટર થઈ ગઈ છે.
આ પણ વાંચો: New Delhi/ હવે દિલ્હી ટ્રાફિક અને પ્રદૂષણ મુક્ત થશે, જાણો નીતિન ગડકરીનો પ્લાન
આ પણ વાંચો: Pakistan/ ઈમરાન ખાનને કોર્ટ તરફથી મળી ઓફર, આમ કરશો તો ધરપકડ નહીં થાય
આ પણ વાંચો: Cold Storage Crash/ UPમાં કોલ્ડ સ્ટોરેજ ફાટતા 25 મજૂરો દટાયા, બચાવકાર્ય જારી