New Delhi News: મેદસ્વીપણાથી પીડાતા લોકો માટે વિદેશી કંપની હવે ભારતમાં પણ આ દવા લોન્ચ કરવા જઈ રહી છે. અમેરિકાની ફાર્મા કંપની એલી લિલી એન્ડ કંપનીની પ્રખ્યાત થયેલી વેટ લોસ મેડિસિન ભારતમાં લોન્ચ થશે. દવાનું નામ મૌન્જારો છે. કંપનીના સીઈઓએ આવતા વર્ષે ભારતીયો માટે લોન્ચ કરવાનું આયોજ કરી રહી છે. કંપનીની માર્કેટ વેલ્યૂ અંદાજે 720 ડોલર બિલિયન છે.
અમેરિકામાં એલિ લિલી (Eli Lilly) દુનિયાની સૌથી કિંમતી દવા બનાવતી કંપનીઓના લિસ્ટમાં ટોચ પર છે. Eli Lillyના સીઈઓ ડેવિડ રિક્સે કહ્યું કે, આવતા વર્ષે જેપબાઉન્ડ અને મૌન્જારો લોન્ચ કરવાનું વિચારી રહી છે. જો આવું થયું તો ભારતમાં સૌથી વધુ વજન ઘટાડવાવાળી દવા વેચતી પહેલી વિદેશી કંપની બની જશે.
તેમણે વધુ જણાવ્યું કે, કંપની વિચારી રહી છે કે જો કંપનીન્ સફળતા મળે છે તો તેને આગળ કી રીતે લઈ જઈ શકાય તેના પર વિચાર વિમર્શ કરી શકાય. વધારે રોગિષ્ટો સુધી કેવી રીતે દવાની પહોંચ ઉપલબ્ધ કરાય, વગેરે માટે મંજૂરી લેવી અનિવાર્ય છે.
કંપનીએ કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO)ને પહેલાથી જ પત્ર લખી દીધો છે. બધુ જ બરાબર રહ્યું તો કંપની 2025માં દવાને ભારતમાં લોન્ચ કરવા તૈયાર રહેશે. દવાની કિંમત વિશે પૂઠવામાં આવ્યું તો તેના પ્રત્યુત્થરમાં જવાબ આપ્યો કે પુરવઠાના આધારે દવાની કિંમત નક્કી કરાશે. અત્યારે જવાબ આપવો તકસંગત ગણી શકાશે નહીં.
આ પણ વાંચો:રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની ઘટ, વિભાગમાં 1010 જગ્યા ખાલી
આ પણ વાંચોઃ BSE સેન્સેક્સ 84 પોઈન્ટના ઘટાડા સાથે 72,220 પર ખુલ્યો, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં
આ પણ વાંચો:બોલિવૂડના સ્ટાર કપલના ઘરે પારણું બંધાશે, દીપિકા-રણવીરે પોસ્ટ શેર કરી