Valsad News : વલસાડમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ માનવતાને શર્મસાર કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ડોક્ટરોએ ગંભીર હાલત હોવાછતા ભિક્ષુકને મરવાની હાલતમાં હોસ્પિટલની બહાર તરછોડ્યો હતો.
રવિવારે ગૌરક્ષકોને માહિતી મલી હતી કે સિવિલ હોસ્પિટલ બૂહાર એક વૃધ્ધ દયનીય હાલતમાં પડી રહ્યા છે. જ્યારે ગૌરક્ષકો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તમને સ્થાનિકોએ કહ્યું હતું કે હોસ્પિટલવાળા જ તેમને હોસ્પિટલની બહાર મુકી ગયા હતા.
આ ભિક્ષુકના પગ અને શરીરમાં સડો લાગ્યો હતો. જેમાં કીડા પડેલા હતા. ડોક્ટરોએ આ ભિક્ષક દર્દી તરફ ધ્યાન ન આપતા હિન્દુ સંગઠ્ઠનના સ્વયંસેવકો ભિક્ષુકની વહારે આવ્યા હતા. આ સ્વયંસેવકો ભિક્ષકને નવડાવીને ફરીથી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
હાલમાં ભિક્ષકને સુરત લઈ જવામાં આવ્યો છે જ્યાં તેના પરિચિતો મળી ગયા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: PM મોદીએ આજે પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ભર્યું નામાંકન ફોર્મ, બાદમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરશે મુલાકાત
આ પણ વાંચો: યમુનોત્રીમાં ભક્તોની ભીડ વધતા તંત્ર થયું સતર્ક, ગંગોત્રીમાં સુરક્ષાને લઈને તીર્થયાત્રીઓને રસ્તામાં રોક્યા
આ પણ વાંચો: CM એકનાથ શિંદે નોટોથી ભરેલ બેગ હેલિકોપ્ટરમાં નાસિક લઈ ગયા, સંજય રાઉતનો ગંભીર આરોપ