રાજય માં ભૂકંપના આંચકા વારંવાર આવતા જોવા મળી રહ્યા છે . ત્યારે આજે સવારે જ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા . આજે પણ ફરી એકવખત ધરતી કંપન થતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી, તો કેટલાક લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : સુરતના બિલ્ડરે રૂ. 11 લાખમાં ખરીદ્યો તૈમૂર નામનો બકરો, જાણો શું છે તેની ખાસિયત
મળતી વિગતો પ્રમાણે, બપોરે 12.43 કલાકે કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોના જીવ ચોટી ગયા હતા . રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.9ની નોંધવામાં આવી છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું હતું.
આ પણ વાંચો :મિત્રો સાથે ફરવા ગયેલા યુવકનો મૃતદેહ જંગલમાંથી મળ્યો, 8 દિવસ પહેલા થયો હતો ગુમ
આવેલા ભૂકંપનની તિવ્રતા એટલી હતી કે, તેની અસર ભચાઉ, રાપર, ગાંધીધામ અને ભૂજ સુધી જોવા મળી હતી. જેને લઈને સ્થાનિક લોકોના જીવ અધ્ધર ચડી ગયા હતા.
આ પણ વાંચો :દાંતીવાડામાં લક્ઝરી ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બે લોકોનાં મોત