Rajkot News : રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ત્રણ અધિકારીઓની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. આ ચકચારભર્યા કેસમાં જવાબદાર કોઈપણ વ્યક્તિને ન છોડવાનો આદેશ અપાયો છે.
રાજકોટ અગિન કાંડ મામલાની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચે ત્રણ અધિકારીઓની સઘન પુછપરછ હાથ ધરી છે. જેમાં તેમની છ કલાકથી વધુ સમયથી પુછપરછ ચાલી રહી છે.
જેમાં TPO સાગઠીયાની પુછપરછ કરવામાં આવી રહી છે.
તે સિવાય ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબાની પણ પુછપરછ ચાલી રહી છે.તે સિવાય PGVCL ના ડેપ્યુટી એન્જિનિયર ચૌહાણની પુછપરછ પણ કરવામાં આવી રહી છે. જવાબદાર કોઈપણ ચમરબંધીને નહી છોડવાના આદેશ આપવામાં આવ્યા છે.આ અધિકારીઓની ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે
આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર
આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ