Surat News: સુરત(Surat)ના કતારગામમાં રહેતો યુવક છેલ્લા 12 દિવસથી મહાકુંભ મેળા(Mahakumbh mela)માંથી ગાયબ થયો હોવાનું સામે આવ્યું છે. 12 દિવસથી કમલેશ વઘાયિસા નામનો યુવકની કોઈ ભાળ ન મળતા પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કેટલાય દિવસથી યુવકની ભાળ ન મળતાં તેનું બેસણું અને બારમું પણ પરિવારે કરી નાખ્યું છે.
મૂળ અમરેલી જિલ્લાના મોટા લીલીયા તાલુકાના પીપલવા ગામના વતની અને હાલમાં કતારગામ લલિતા ચોકડી પાસે પંચવટી સોસાયટીમાં રહેતા 32 વર્ષીય કમલેશ વિનુભાઈ વઘાસિયા તેમના પરિવાર સાથે રહેતા હતા. તે બીજી કંપનીમાં કેમિકલ એન્જિનિયર તરીકે કામ કરતો હતો અને તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો જેમાં તેની પત્ની, એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે. કમલેશે કંપનીના તેના સાથી કર્મચારી અક્ષય ચૌહાણ સાથે પ્રયાગરાજમાં મહાકુંભમાં ડૂબકી લગાવવાનું નક્કી કર્યું હતું.
8 ફેબ્રુઆરીના રોજ બપોરે બંને મિત્રો સુરતથી નીકળ્યા. પહેલા તેઓ ઉત્તર પ્રદેશના રેવા પહોંચ્યા જ્યાંથી તેઓ વારાણસી પહોંચ્યા અને ગંગા નદીના કિનારે આવેલા ઘાટોની મુલાકાત લીધી. ત્યાંથી, કમલેશ અને અક્ષય અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર પહોંચ્યા, ત્યારબાદ તેઓ 12 ફેબ્રુઆરીએ મહાકુંભ પહોંચ્યા. ભક્તોની ભારે ભીડ હોવાથી, કમલેશે તેના મિત્ર અક્ષયને ઘાટથી થોડે દૂર નાગવાસુકી ઘાટ પર જઈને ડૂબકી લગાવવા કહ્યું. બંને ડૂબકી લગાવવા માટે ઘાટથી થોડે દૂર ગયા. તેમણે નક્કી કર્યું કે એક વ્યક્તિ પહેલ કરશે અને બીજો વીડિયો બનાવશે.
માહિતી મુજબ, પહેલા કમલેશ વઘાસિયા ડૂબકી લગાવવા માટે સંગમમાં પ્રવેશ્યો હતો. એક, બે, ત્રણ, છ ડૂબકી લગાવ્યા પછી, તેનો પગ લપસી ગયો અને પછી તે ગાયબ થઈ ગયો, જેના કારણે તેનો મિત્ર અક્ષય કિનારે ઊભો રહી ગયો અને અવાચક થઈ ગયો. તેણે તરત જ નજીકમાં ઉભેલા પોલીસકર્મીને જાણ કરી. જે બાદ ફાયર અને NDRF ટીમને જાણ કરવામાં આવી અને શોધખોળ શરૂ કરવામાં આવી.
આ પણ વાંચો:પુત્રના મોતનો આઘાત સહન ન કરી શકતા મહિલા ઘરેથી ગાયબ થઈ ગઈ : 30 વર્ષ બાદ પરિવારને મળી
આ પણ વાંચો:કોર્પોરેટ નોકરીનું સત્ય! 26 વર્ષની યુવતીની હત્યા, અંતિમ સંસ્કારમાંથી આખી ઓફિસ ગાયબ
આ પણ વાંચો:કેલિફોર્નિયાની આગમાં અનેક લોકો ગાયબ, 16નાં મોત:12 હજાર ઘર બળીને રાખ, પાડોશી રાજ્યો મદદે આવ્યાં
