Banaskantha News : બનાસકાંઠામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર થઈ છે. મંતવ્ય ન્યૂઝ ફરીથી પાલનપુરની જનતાનો અવાજ બન્યું છે. જેમાં પોલીસ વડાએ એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા ધ્યાનમાં લીધી છે.તે સિવાય ટ્રાફિક ઘટાડવા પોલીસે અલગ અલગ પ્રયોગો હાથ ધર્યા હતા.
જેમાં એરોમા સર્કલ પરથી પસાર થતાં ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું હતું. ટ્રાફિકની આ સમસ્યાને લઇ મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો.
બાદમાં જીલ્લા પોલીસ વડાએ ટ્રાફિક સમસ્યાને નિવારવા ત્વરિત પ્રયાસ કર્યો હતો.
