- રખડતાં શ્વાને વધુ એક જીવ લીધો,
- જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકીને રખડતાં કૂતરાઓએ ફાડી ખાધી
- 7-8 રખડતાં શ્વાન બાળકી પર તુટી પડયા
- બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું
- જંગલેશ્વર વિસ્તારમાં આવેલા વોકળાના કારણે શ્વાનો એકઠા થાય છે,જેને લઇને સ્થાનિકો હેરાન થાય છે
- રખડતાં શ્વાનો અંગે સ્થાનિકોએ RMC માં લેખિત ફરિયાદ કરી છે, પરંતુ RMC દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઇ
રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો હોવા છંતા પણ તંત્ર કોઇ નક્કર પગલાં લેતું નથી,ફરી એકવાર રખડતા શ્વાને રાજકોટમાં ચાર વર્ષની બાળકીને ફાડી ખાધી હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીની બહાર રમતી ચાર વર્ષની બાળકીને શ્વાને ફાડી ખાધી બાળકીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. સાતથી આઠ રખડતા શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો.
ઉલ્લેખનીક છે કે રખડતા શ્વાન મામલે અનેક મૌખિક અને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી પરતું તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા 4 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બાળકીના મોત થતા સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. રખડતા શ્વાનને લઇને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: