Not Set/ સુરતમાં કોફી શોપમાં કોલેજિયન વિદ્યાર્થિ અને વિદ્યાર્થિની થયા બેભાન, એકનું મોત

શહેરના વેસુના એક કોફી શોપમાં બે કોલેજિયન યુવક યુવતી મળી આવ્યા હતા, જ્યાં તેમને સારવાર અર્થે તાત્કાલિક 108માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Gujarat Surat
કોફી શોપમાં

સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વેસુ વિસ્તારમાં આવેલ કોફી શોપમાં બેભાન મળેલી કોલેજીયન વિદ્યાર્થિનીનું મોત થતાં ચકચાર મચી જવા પામ્યો છે. તો આ અમમલે પરિવારજનોએ વિધર્મી વિદ્યાર્થી પર ઝેર આપી મારી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની હોવાનું સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. પરિવારે આક્ષેપ કરતા ખટોદરા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : રત્નમણિ મેટલ્સ પર IT વિભાગના દરોડા, મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી આશંકા

આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના વેસુના એક કોફી શોપમાં બે કોલેજિયન યુવક યુવતી મળી આવ્યા હતા, જ્યાં તેમને સારવાર અર્થે તાત્કાલિક 108માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સિવિલના ડોક્ટરોએ વિદ્યાર્થિનીને મૃત જાહેર કરતા સાથી યુવક સારવાર છોડીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મધુસ્મિતા બીએડના પ્રથમ વર્ષમાં જ હતી. સોમવારે સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી. સાંજે 6 વાગ્યા સુધી પરત ન આવતા પરિવાર ચિંતિત હતું. ફોન કરતા મધુસ્મિતાનો ફોન બંધ આવતા દોડધામ કરવા મજબુર હતા. કામરેજ કોલેજ પર જતાં કોલેજ બંધ હતી. પોલીસની મદદ લેતા જાણવા મળ્યું કે, ખટોદરા પોલીસનો સંપર્ક કરો એવી સલાહ મળી હતી.

આ પણ વાંચો :ગોધરા રેન્જ સાયબર ક્રાઈમની ટીમે નિવૃત શિક્ષક પાસેથી ₹ ૨૭ લાખ ખંખેરનાર ત્રણ ભેજાબાજો ને દિલ્હીથી દબોચી

સોમવારે રાત્રે 12:30 વાગે NGO અને પોલીસે મધુસ્મિતાનું મોત થયું હોવાનું પરિવારને જણાવી કોલેજ બેગ અને મોપેડ આપી હતી. આ સાંભળી માતા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. મધુસ્મિતાના મોતને લઈ પરિવાર આશ્ચર્યમાં પડી ગયું હતું. અમારી દીકરી આપઘાત કેમ કરે એવા અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. કોલેજમાં સાથે અભ્યાસ કરતો મદની નામનો વિધમી વિદ્યાર્થી બીએના છેલ્લા વર્ષમાં મધુસ્મિતાને મેસેજ કરી હેરાન પણ કરતો હતો. બહેનપણીઓએ રહસ્યો ખોલતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સિવિલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, ઘટના સોમવારની મોડી સાંજની હતી.108 એમ્બ્યુલન્સમાં બે વિદ્યાર્થીઓને શંકાસ્પદ ઝેરી દવા પીધી હોવાની વાત સાથે સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. તપાસ કરતા વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. આ સાંભળી સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી ભાગી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક નું નામ મધુસ્મિતા સુશાંત શાહુ (ઉ.વ 22) ડીંડોલીની રહેવાસી અને બીએડની વિદ્યાર્થિની હતી.

આ પણ વાંચો :લોકગાયિકા રાજલ બારોટે નિભાવી પિતાની ફરજ, નાની બહેનોના લગ્ન કરાવી કર્યું કન્યાદાન

આ પણ વાંચો :સોળે શણગાર સજીને આ દુલ્હનપોતાના ભાવિ પતિ સાથે પહોંચી પરીક્ષા આપવા

આ પણ વાંચો : ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવનથી પ્રેરણા લઈ નાગરિકોને શિક્ષિત અને સંગઠિત બનવા જોઈએ : મુખ્યમંત્રી