કોરોનાથી બચવા દરેકે વેક્સિન દિવ્યાંગ બાળાએ કરી અપીલ
રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. શાળા એ જતા બાળકો અને શાળા એ ન જતા તમામ બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા આવરી લેવામાં આવનાર છે અને કોરોના રસી આપવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લામાં તા.૩ જાન્યુઆરીથી સ્કુલના વિદ્યાર્થિઓને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે કેશોદ તાલુકાના બાલાગામની હાઇસ્કુલમાં અભ્યાસ કરતી દિવ્યાંગ વિદ્યાર્થીનીએ કોરોના વેક્સીન લઇ કોરોનાથી બચવા દરેકને વેક્સિન ફરજિયાત લેવા અપીલ કરી છે.
કેશોદ તાલુકાના બાલાગામની હાસ્કુલમાં અભ્યાસ કરતી સાનિયાબેન અયુબભાઇ પઠાણ જે દિવ્યાંગ છે. તેમણે પ્રથમ દિવસે જ સ્કુલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ જણાવ્યું હતું કે, કોરોનાથી બચવા માટે દરેકે કોરોના રસી લેવી જરૂરી છે. કારણ કે કોરોથી આપણે વેક્સિન જ બચાવી શકશે. આથી બાળકોએ ડર્યા વગર વેક્સિન લેવી જોઇએ.
હું દિવ્યાંગ હોવા છતા ડર્યા વગર જ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. આ રસીને કારણે કોઇ આડઅસર થતી નથી. હું તમામને અપીલ કરૂ છું કે, તમામએ કોરોનાની વેક્સિન લઇ લેવી જોઇએ. બલાગામની શાળામાં પ્રથમ દિવસે ૧૦૦ ઉપરાંત વિદ્યાર્થિઓએ કોરોના વકિસનનો પ્રથમ ડોઝ લીધો હતો.