ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરના ૨૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત રજત જયંતી કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી ચુક્યા છે. અમદાવાદ એરપોર્ટથી તેઓ રાજભવન ખાતે ટુકું રોકાણ કરશે અને ત્યારબાદ અક્ષરધામ મંદિર પહોચશે.
અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના અગ્રણી નેતાઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા એરપોર્ટની બહાર પીએમ મોદીનું માનવ સાંકળ રચીને સ્વાગત કરવામાં આવ્યું હતું.