ગમખ્વાર અકસ્માત/ ચોટીલા દર્શને જતી કા૨નું ટાય૨ ફાટતા બે કા૨ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજયું

પોલીસ તપાસમાં પરિવારજનો આંબ૨ડી ગામથી ચોટીલા દર્શને જતા હતા ત્યારે મોટરકારનું ટાયર ફાટતા ધોરાજી નજીક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

Gujarat Rajkot
Untitled 52 1 ચોટીલા દર્શને જતી કા૨નું ટાય૨ ફાટતા બે કા૨ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજયું

 રાજયમાં  દિવસેને દિવસે  અકસ્માતના કેસો વધતાં  જોવા મળી રહ્યા છે .  ક્યારેક એવા ગંભીર અકસ્માત  બને છે જેમાં  લોકોના  મૃત્યુ પણ થતાં હોય છે  . ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજીના ભૂખી ચોકડી પાસે આજે બે કા૨ વચ્ચે અકસ્માત  સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જયારે અન્ય ત્રણ વ્યક્તિઓને નાની-મોટી ઈજા થતા તેઓને સા૨વા૨ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માત ટાયર ફાટવાને લીધે થયું હોવાનું જાણવા મળ્યું હતું .

મળતી  માહિતી મુજબ  રાજકોટ જિલ્લાના ધોરાજીના ભુખી ચોક નજીક બે કા૨ વચ્ચે અકસ્માત થતા આંબ૨ડી ગામ ના દિનેશભાઈ હંસરાજભાઈ પ૨મા૨ને ગંભી૨ ઈજા થતા 108માં સા૨વા૨ માટે હોસ્પિટલમાં લાવતા સા૨વા૨ દ૨મ્યાન જ મોત નીપજયું હતું.

આ પણ વાંચો :India / Omicron એ સરકારનું ટેન્શન વધાર્યું, PM મોદી કાલે અધિકારીઓ સાથે કરશે બેઠક

મહત્વનુ છે કે પોલીસ તપાસમાં પરિવારજનો આંબ૨ડી ગામથી ચોટીલા દર્શને જતા હતા ત્યારે મોટરકારનું ટાયર ફાટતા ધોરાજી નજીક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત દાહોદ -ઇન્દોર નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ,એક ટ્રક ચાલકે પોતાની ટ્રક ઓવર સ્પીડથી હંકારી હતી સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા તેણે બાઇક સવારને હડફેટમાં લીધા હતા,આ અક્સમાતમાં બે લોકોનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું,આજુબાજુનાલોકો અકસ્માત થતા સત્વરે મદદે આવી પહ્ચેયા હતા અને પોલીસને જાણ કરી હતી ,પોલીસ ઘટના સ્થેળે પહોચી હતી પરતું અકસ્માત કરીને ટ્રક ચાલક ફરાર થઇ ગયો છે, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :ગાંધીનગર / ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ અસિત વોરાનું પેપર ક્યારે ફૂંટશે?