- સોનિયા ગાંધીના નિવાસસ્થાને વિપક્ષી નેતાઓની બેઠક યોજાઈ
- મુખ્ય એજન્ડા રાજ્યવાર રીતે વિપક્ષની એકતાનો હતો
શિયાળુ સત્ર દરમિયાન સંસદની સ્થિતિને લઈને મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને વિપક્ષી નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વડા શરદ પવાર, શિવસેનાના સાંસદ સંજય રાઉત, DMK સાંસદ ટીઆર બાલુ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ હાજરી આપી હતી.
બેઠક બાદ સંજય રાઉતે કહ્યું કે અમારો મુખ્ય એજન્ડા રાજ્યવાર રીતે વિપક્ષની એકતાનો હતો. આ પહેલી બેઠક હતી, આવતીકાલે (બુધવારે) ફરી મળીશું, શરદ પવાર પણ હાજર રહેશે. રાજ્યસભાના 12 સાંસદોને સસ્પેન્ડ કરવા માટે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીની માફીની માંગ પર સંજય રાઉતે કહ્યું, ‘કોઈ માફી નહીં, કોઈ પસ્તાવો નહીં, અમે લડીશું’.