Not Set/ ચુડા તાલુકાનાં ચમારડી ગામે વિજળી પડતાં આધેડનું મોત

ચુડા તાલુકામાં ગત મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ પવનનાં સૂસવાટા અને વાવાઝોડા સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો.

Gujarat Others
1 222 ચુડા તાલુકાનાં ચમારડી ગામે વિજળી પડતાં આધેડનું મોત

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ચુડા તાલુકામાં ગત મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ પવનનાં સૂસવાટા અને વાવાઝોડા સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જેમાં ચુડા તાલુકાનાં ચમારડી ગામે વિજળી પડતાં આધેડનું મોત નિપજયું હતુ. આ ગોઝારી ઘટનામાં આધેડ ખેડૂતનાં મોતથી પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાઇ જવા પ‍ામ્યો હતો.

1 223 ચુડા તાલુકાનાં ચમારડી ગામે વિજળી પડતાં આધેડનું મોત

કૌભાંડ: બોડેલીમાં ઈકો ગાડી વડોદરા ભાડે લઈ જઈને તેના સાઇલેન્સર બદલી નાખવાનું કૌભાંડ

સુરેન્દ્રનગર જીલ્લામાં 10 દિવસ અગાઉ “તાઉ-તે” વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યા બાદ છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણથી ખેડૂતો અને રણમાં મીઠું પકવતા અગરિયાઓ દયનીય હાલતમાં મુકાયા છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાનાં ચુડા તાલુકામાં ગત મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ પવનનાં સૂસવાટા અને વાવાઝોડા સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જેમાં ચુડા તાલુકાનાં ચમારડી ગામે વિજળી પડતાં આધેડનું મોત નિપજયું હતુ. જણાવી દઇએ કે, આ આધેડ ગામની સીમમાં આવેલા ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે વિજળી પડતા આધેડ હરજીભાઇ વાટકીયાનું મોત નિપજવાની ગોઝારી ઘટના બની હતી.

1 224 ચુડા તાલુકાનાં ચમારડી ગામે વિજળી પડતાં આધેડનું મોત

સંકટમાં મદદ: ભારે વરસાદ ખાબકતા ઝીંઝુવાડાનાં રણમાં વાછડાદાદા મંદિરે દર્શને ગયેલા શ્રદ્ધાળુઓની 40 ગાડીઓ ફસાઇ

ચુડા તાલુકાનાં ચમારડી ગામેં વિજળી પડવાથી થયેલા આધેડનાં મોતથી પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં મૃતકનાં પરિવારજનો સહિત ગામનાં લોકો ખેતરે દોડી ગયા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં પોલીસે પણ બનાવનાં સ્થળે દોડી મુકી મૃતક ખેડૂત હરજીભાઇ વાટકીયાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

kalmukho str 4 ચુડા તાલુકાનાં ચમારડી ગામે વિજળી પડતાં આધેડનું મોત