Patan News: પાટણની ઐતિહાસિક નગરીમાંથી ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી છે. ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધની પ્રતિમા મળી છે. પાટણ પંથકમાંથી ધરતી ઢંકનો ઇતિહાસ ઉજાગર થયો છે. મકાનનો પાયો ખોદવા દરમિયાન પ્રતિમા મળી હતી.
ખુમાનસિંહના પ્લોટમાંથી ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમા નીકળી હતી. પ્રતિમા મળતી ફરી એકવાર ઐતિહાસિક પાટણ પંથકનો ઇતિહાસ ઉજાગર થયો હતો. આ ઉપરાંત ગુજરાતના વલ્લભીપુરમાં પણ કેટલાય સ્થળોએથી બૌદ્ધકાળના અવશેષો મળ્યા છે.
ગુજરાતમાં આજે પણ ઘણા સ્થળેથી બૌદ્ધ યુગના અને ચંદ્રગુપ્ત મૌર્ય યુગ તથા અશોકના કાર્યકાળના અવશેષો મળી આવે છે. તેથી અહીં ઘણા સમય સુધી બૌદ્ધ ધર્મનો પ્રભાવ રહ્યો હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: વલસાડમાં તસ્કરનો આતંક, 22 તોલા દાગીનાની ચોરી
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું
આ પણ વાંચો: દ્વારકામાંથી 16 કરોડની કિંમતનું અફઘાની ચરસ પકડાયું