સાબરકાંઠાના ઈડરમાં રાણી તળાવ પાસેથી પસાર થતા લોકો અચાનક કુતુહાલવસ ટોળે વળેલા જોવામાં આવ્યા. વાતનો સંદર્ભ જાણતા સામે આવ્યું કે, તળાવમાં કોઇને મૃતદેહ હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર મામલાની જાણ તંત્રને કરવામાં આવી અને તંત્ર દ્વારા સાબરકાંઠાના ઈડરમા રાણી તળાવમાં અજાણી મહિલાની લાશ મળી આવી છે તેવી પુષ્ટી કરવામાં આવી હતી.
વાત જાણે એમ છે કે, ઇડરનાં રાણી તળાવની પાળે રોડ પર આવતા જતા એકઠા થયેલા લોકોના ટોળા દ્વારા ઇડર પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા, ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી અજાણી મહિલાની લાશ બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઇડર પોલીસે અજાણી મહિલાની લાશની ઓળખ વિધિ માટેની કાર્યવાહી હાથ ધરી છે. પોલાસ દ્વારા જોકે પ્રાથમીક જાણકારી આવતા જણાવવામાં આવી રહ્યું છે કે, મહિલા દ્રારા કોઇ અગમ્ય કારણોસર આત્મહત્યા કરાઇ હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે, પરંતુ પોલીસ દ્વારા આ મામલે હત્યા કે આત્મહત્યાની થીયરી સાથે વધિ તપાસ કરવામાં આવી રહી છે.
આપને જણાવી દઇએ કે, પૂર્વે પણ આજ રાણી તળાવમાંથી બાળક સહિત મહિલા અને અનેક લોકોની લાશો તરકી જોવામાં આવી હતી. લોકો દ્વારા કોઇ ને કોઇ અગમ્ય કારણો સર તળાવમાં કુદાકો મારી પોતાનું આયખું ટુંકાવવામાં આવ્યું હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે લોકો દ્વારા આ મામલેને રોકવા માટે તંત્ર કોઇ યોગ્ય પગલા પણ ભરે તેવી માંગ પણ ઉઠતી જોવામાં આવી રહી છે.
https://youtu.be/6eFtYXox_3o
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.