Movie Masala/ આમિર ખાને આર્મી અધિકારીઓને બતાવી ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મ, થિયેટરમાં જ પીએમ મોદી વિશે કહી આ મોટી વાત

હિન્દી સિનેમાના શક્તિશાળી કલાકાર આમિર ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના જબરદસ્ત પ્રમોશનમાં વ્યસ્ત છે. આમિર ખાને સૈન્ય અધિકારીઓ માટે લાલ સિંહ ચઢ્ઢાનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું

Trending Entertainment
9 14 આમિર ખાને આર્મી અધિકારીઓને બતાવી 'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મ, થિયેટરમાં જ પીએમ મોદી વિશે કહી આ મોટી વાત

હિન્દી સિનેમાના શક્તિશાળી કલાકાર આમિર ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના જબરદસ્ત પ્રમોશનમાં વ્યસ્ત છે. આમિર ખાને સૈન્ય અધિકારીઓ માટે લાલ સિંહ ચઢ્ઢાનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. આ પછી થિયેટરમાં આમિરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણમાં કવિતા પણ વાંચી. ઉલ્લેખનીયછે કે છેલ્લા ઘણા દિવસોથી આમિર ખાન સ્ટારર લાલ સિંહ ચઢ્ઢાનો સોશિયલ મીડિયા પર ઘણો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

Instagram will load in the frontend.

તાજેતરમાં આમિર ખાન પ્રોડક્શને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં આમિર ખાન અને સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્ય સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયો નવા વોર મેમોરિયલનો છે, જ્યાં આ બંને કલાકારો તેમની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના પ્રમોશન માટે આવ્યા હતા. આ દરમિયાન સૈન્ય અધિકારી માટે લાલ સિંહ ચઢ્ઢાનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખવામાં આવ્યું હતું.

Instagram will load in the frontend.

આ પછી, આમિર ખાન થિયેટરમાં કહેતો જોવા મળ્યો કે, “આજે સવારે અમે નવા વોર મેમોરિયલ પર ગયા. મને એ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે આ નવું યુદ્ધ સ્મારક વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વતી ખૂબ સુંદર બનાવવામાં આવ્યું છે. તે આપણા દેશના બહાદુર સૈનિકોના બલિદાન વિશે જણાવે છે. તે અમારા બધા માટે ભાવનાત્મક ક્ષણ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત આમિર ખાને દેશના સૈન્ય અધિકારીઓના પણ વખાણ કર્યા હતા. તેણે કહ્યું, ‘જબ લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગ માટે અમે એક મહિના સુધી કારગીલમાં રોકાયા હતા. તે દરમિયાન અમે વિચાર્યું કે આપણું સંરક્ષણ દળ દુશ્મનો સામે કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે. મહાન બહાદુરીના બળ પર, તમે અમારી રક્ષા કરો છો, જેના માટે તમારા વખાણ શક્ય તેટલા ઓછા છે.” નોંધનીય છે કે લાલ સિંહ ચઢ્ઢા આજે એટલે કે  11 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે.