ગાંધીનગરઃ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા જળ સંપતિ વિકાસ નિંગમમાં પટ્ટાવાળા હસમુખભાઇ રતિલાલ રાવલ પાસેથી આવક કરતા વધુ પ્રમાણમાં 1.18 કરોડની સંપતિ મળી આવતા ભ્રષ્ટાચારનો નોધવમાં આવ્યો હતો. એસીબીએ કરેલ ફરિયાદ મુજબ ૧, એપ્રિલ ર૦૦૪થી ૩૧ માર્ચ ર૦૧૬ સુધીના સમયગાળા મુજબ હસમુખભાઇએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રૂપિયા ૧.૧૮ કરોડની અપ્રમાણસરની સ્થાવર અને જંગમ મિલકત વસાવી છે.