@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
ચુડા તાલુકાનાં મોજીદડ ગામે આવેલી એસ.બી.આઈમાં અપુરતા સ્ટાફને કારણે ખાતેદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કનેક્ટિવીટી સહિત ટેકનીકલ ખામી અને ઓછા સ્ટાફને કારણે બેંક સાથે જોડાયેલા 7 ગામનાં ધરતીપુત્રોને પાક ધીરાણ માટે ધરમ-ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
માનવતાનું ખરું ઉદાહરણ / માતાના નિધનની ખબર પડ્યા બાદ પણ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કર્યું પોતાનું કામ, 15 દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ….
ચુડા તાલુકાનાં મોજીદડ ગામની SBI બેંકમાં કારોલ, છલાળા, બલાળા, ખાંડીયા, અચારડા, સેજકપર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. SBI માં અપુરતા સ્ટાફ અને વારંવાર ખોરવાતી કનેક્ટિવીટીને કારણે બેંકનાં ખાતેદારો સાથે 7 ગામોનાં ખેડૂતોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલનાં સમયમાં ખેડૂતો પાક ધિરાણ માટે આવતા હોવાથી સામાન્ય દિવસની સરખામણીએ બેંકમાં ભીડ વધારે જોવા મળી રહી છે. ઓછો સ્ટાફ અને અવાર-નવાર સર્જાતી ટેકનીકલ ખામીઓને કારણે આસપાસનાં ગ્રામીણ વિસ્તારોમાંથી પાક ધિરાણ માટે આવતા ખેડૂતોનું કામ નહીં થતા ધરમ-ધક્કા ખાવા પડે છે.
કોરોનાના નિયમોનો ભંગ / રાજકોટમાં કોચિંગ સેન્ટર પર દરોડા, 555 વિદ્યાર્થીઓ ક્લાસમાં માસ્ક પહેર્યા વિના મળી આવ્યા
કારોલ ગામનાં સરપંચ મહાવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જે ખેડૂતોએ મે મહિનામાં પાક ધીરાણ લીધું હોય તેમને વ્યાજ માફી માટે માસનાં અંત સુધીમાં ધીરાણ ભરી દેવું ફરજીયાત છે. બેંકનાં ઓછા સ્ટાફને કારણે ખેડૂતોને વ્યાજ માફીનો લાભ ગુમાવવો પડ્યો તો તેની જવાબદારી કોની રહેશે? અરે સામાન્ય નાણાંકીય વ્યવહાર કરવા પણ ગ્રાહકોને બેંકમાં બે-ત્રણ ધક્કા ખાવા પડી રહ્યા છે.