આરોપ/ દિલ્હીના મુખ્ય સચિવ પર પુત્ર સાથે જોડાયેલી કંપનીને ફાયદો પહોચાડવાનો આરોપ,CMએ રિર્પોટ માંગ્યો

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર વિરુદ્ધ ફરિયાદ અંગે તકેદારી મંત્રી પાસેથી રિપોર્ટ માંગ્યો છે

Top Stories India
4 1 2 દિલ્હીના મુખ્ય સચિવ પર પુત્ર સાથે જોડાયેલી કંપનીને ફાયદો પહોચાડવાનો આરોપ,CMએ રિર્પોટ માંગ્યો

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર વિરુદ્ધ ફરિયાદ અંગે તકેદારી મંત્રી પાસેથી રિપોર્ટ માંગ્યો છે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. ફરિયાદમાં આરોપ છે કે રોડ પ્રોજેક્ટ માટે અધિગ્રહિત કરવામાં આવેલી જમીન માટે વધુ વળતર મેળવનાર વ્યક્તિના સંબંધીએ મુખ્ય સચિવ નરેશ કુમારના પુત્રને નોકરી આપી હતી. કુમારે આ મામલે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી સરકારને ઓક્ટોબરમાં આ ફરિયાદ મળી હતી, જેને મુખ્ય પ્રધાને તકેદારી પ્રધાન આતિશીને મોકલી હતી અને તેમની પાસે આ વિષય પર તથ્યો સાથેનો વિગતવાર અહેવાલ માંગ્યો હતો. વર્ષ 2018માં, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દ્વારકા એક્સપ્રેસ વેના નિર્માણ માટે દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના બામનોલી ગામમાં 19 એકર જમીન સંપાદિત કરી હતી અને શરૂઆતમાં જિલ્લા વહીવટીતંત્રે તેના માટે વળતરની રકમ 41.52 કરોડ રૂપિયા નક્કી કરી હતી.

જમીન માલિકોએ આ વળતરને પડકાર્યું હતું અને આખરે આ વર્ષે મે મહિનામાં દક્ષિણ પશ્ચિમ દિલ્હી જિલ્લા મેજિસ્ટ્રેટ હેમંત કુમારે તેને વધારીને 353.79 કરોડ રૂપિયા કરી દીધું હતું. બાદમાં ગૃહ મંત્રાલયે આ કેસમાં જિલ્લા મેજિસ્ટ્રેટ હેમંત કુમારને સસ્પેન્ડ કરી દીધા હતા. તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે પણ 353.79 કરોડ રૂપિયાની આ વળતરની રકમ ફગાવી દીધી હતી. ફરિયાદીએ એવો આક્ષેપ કર્યો છે કે દિલ્હીના મુખ્ય સચિવનો પુત્ર એક રિયલ એસ્ટેટ કંપનીમાં કામ કરે છે અને તે કંપનીના ડિરેક્ટર સુભાષચંદ કથુરિયાના જમાઈ છે, જે બામણોલી ગામમાં સંપાદિત જમીનના માલિક છે


 

Read More: હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી, ખેડૂતોની ચિંતા વધી

Read More: સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવાં 155 ભોજન કેન્દ્રનો કરાવ્યો શુભારંભ

Read More: ગોરખપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, 6 લોકોના કરૂણ મોત


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube 

Download Mobile App : Android | IOS