બોલીવુડ અભિનેતા રણવીર સિંહ IIFA એવોર્ડ સમારોહની 22મી આવૃત્તિમાં પરફોર્મ કરશે. સમારોહના આયોજકોએ બુધવારે આ માહિતી આપી હતી. આ વખતે બહુપ્રતીક્ષિત IIFA સેલિબ્રેશન 20 અને 21 મેના રોજ અબુ ધાબીના યાસ આઇલેન્ડ ખાતે યોજાશે. સલમાન ખાન, રિતેશ દેશમુખ અને મનીષ પોલ સમારોહના પ્રસ્તુતકર્તા હશે.
ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એ એક નિવેદનમાં આની જાહેરાત કરી છે. યાસ દ્વીપના બ્રાન્ડ એમ્બેસેડર રણવીરે કહ્યું કે તે ખૂબ જ ખાસ હશે તેવા પરફોર્મન્સ સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે અત્યંત રોમાંચિત છે. આઈફા એવોર્ડ સમારોહમાં રણવીર ઉપરાંત વરુણ ધવન, કાર્તિક આર્યન, સારા અલી ખાન, અનન્યા પાંડે, દિવ્યા ખોસલા કુમાર અને નોરા ફતેહી પણ પરફોર્મ કરશે.
આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીને છેતરપિંડીના કેસમાં રાહત, કોર્ટ દ્વારા જામીન મંજૂર
આ પણ વાંચો :રણબીર કપૂરના ઘરે વધારાઈ સિક્યુરિટી, આજે દુલ્હન આલિયાના હાથમાં મુકાશે મહેંદી