Adani’s changed mood: હિંડનબર્ગના અહેવાલ બાદ સંકટમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહેલા અદાણી ગ્રુપે મહત્વનો નિર્ણય લીધો છે. અદાણી ગ્રૂપે દેશની પાવર ટ્રેડિંગ કંપની PTC ઈન્ડિયા લિમિટેડમાં હિસ્સા માટે બિડિંગથી પોતાને દૂર રાખ્યા છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે અદાણી ગ્રુપે PTC ઈન્ડિયામાં હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે અને તે પ્રારંભિક માહિતીની સમીક્ષા કરી રહેલા સંભવિત બિડરોમાંનું એક છે.
બ્લૂમબર્ગના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે હિંડનબર્ગ વિવાદ પછી અદાણી ગ્રુપ રોકડ અનામત રાખવા માંગે છે. PTC ઈન્ડિયા લિમિટેડની બિડમાંથી ખસી જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, અદાણી ગ્રુપે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. જણાવી દઈએ કે PTC ઈન્ડિયા લિમિટેડમાં NTPC લિમિટેડ, NHPC લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પ ઑફ ઈન્ડિયા અને પાવર ફાઈનાન્સ કૉર્પનો હિસ્સો છે. આ ચાર કંપનીઓ અનુક્રમે તેમનો 4 ટકા હિસ્સો વેચવા સલાહકાર સાથે કામ કરી રહી છે. કહેવાનો અર્થ એ છે કે કંપનીનો કુલ 16 ટકા હિસ્સો વેચવામાં આવશે. PTCના શેરના ભાવના આધારે, 16 ટકા હિસ્સો લગભગ 52 મિલિયન ડોલરનો હોઈ શકે છે. જણાવી દઈએ કે તાજેતરમાં અદાણી પાવર લિમિટેડે છત્તીસગઢમાં થર્મલ પાવર પ્લાન્ટનું સંચાલન કરતી કંપની ડીબી પાવરના અધિગ્રહણમાંથી ખસી ગઈ છે. આ સોદો રૂ. 7,017 કરોડનો હતો.
24 જાન્યુઆરીએ અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ વિરુદ્ધ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ અહેવાલમાં ગ્રુપ પર બજારની હેરાફેરી અને એકાઉન્ટિંગ છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગ્રુપે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા પરંતુ આ અહેવાલ બાદ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેર ખરાબ રીતે તૂટ્યા હતા. અત્યાર સુધીમાં અદાણી ગ્રુપનું બજાર મૂલ્ય 130 બિલિયન ડોલર ગુમાવ્યું છે. આ ભયંકર પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે અદાણી ગ્રુપે તેના આવક વૃદ્ધિ લક્ષ્યાંકને અડધો કર્યો છે અને નવા મૂડી ખર્ચને સ્થિર કરવાની યોજના બનાવી છે.
આ પણ વાંચો: School/વિશ્વની એવી શાળાઓ જેની એક વર્ષની ફીમાં Apple, રોલ્સ રોયસ કારની લાઇન લગાવી શકાય