અકસ્માત/ દશામાં પગપાળા દર્શન કરવા જતાં 7 શ્રદ્ધાળુઓને ઇકો કારે લીધા અડફેટે, 2 નાં મોત

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગઢ- મડાણા ગામે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકે 7 લોકોને અડફેટે લીધા જેમાં 2 લોકોના…

Gujarat Others
અડફેટે

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગઢ- મડાણા ગામે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકે 7 લોકોને અડફેટે લીધા જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે. જયારે અન્ય લોકો  ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો :રાખડીના સંબંધને લાંછન પહોંચાડતી ઘટના, ભાઈએ પોતાની જ બહેનનું કર્યું અપહરણ, પછી..

મળતી માહિતી અનુસાર , પાલનપુર તાલુકા ગઢ મડાણા ગામે આ ઘટના બની હતી. દશામાતાના વ્રતનો અંતિમ દિવસ હોઈ શ્રદ્ધાળુઓ જાગરણ કરતા હોય છે. ત્યારે ગઢ મડાણા ગામે કેટલાક શ્રદ્ઘાળુઓ જાગરણ હોઈ ગઢ દશામાના મંદિરે પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે એક ઈકો કારે પગપાળા જઈ રહેલા 7 શ્રદ્ઘાળુઓને અડફેટે લીધા હતા.

આ પણ વાંચો : સારંગપુર જવાનું કહી અંજારના જાણીતા વકીલે કર્યો આપઘાત

મંદિર પાસેના તળાવ પાસે આવેલ મંદિર પાસે ઈકો કારે શ્રદ્ધાળુઓને કચડ્યા હતા. ઈકો કારે 7 શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા, જેમાંથી 2 યાત્રિકોના મોત નિપજ્યા છે. તો બાકીના ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ પણ વાંચો :ડાયમંડ સિટીમાં વધુ એક હત્યાનો બનાવ, ગોડાદરમાં દિયરે જ કરી ભાભીને રહેંસી નાખી

ઘટના બાદ ગઢ પોલીસે ઇકો ગાડીનો કબ્જો લઈ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા કે, દશામાની માટીની મૂર્તિ લાવી ઘરમાં જ વિસર્જન કરવામાં આવે છતાં મોટી સંખ્યામાં લોકો માતાજીના વિસર્જન કરવા બહાર નીકળ્યા હતા.

આ પણ વાંચો : વહુના ત્રાસથી સાસુએ આત્મહત્યા કરતા ચકચાર

આ પણ વાંચો :ત્રીજી રન ફોર યુનિટી શરુ કરનારા અભિનેતા મિલિંદ સોમન 22મીએ SOU પહોંચશે,મુંબઇના શિવાજી પાર્કથી  416 કિલો

આ પણ વાંચો :બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડના જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરાયા

આ પણ વાંચો :કોરોનાના લક્ષણ હોય, RTPCR રિપોર્ટ નેગેટીવ હોય અને સારવાર દરમિયાન મૃત્યુ થાય તો તેના અનાથ થયેલા બાળકોનું શું